• મૃતક જયેશ રામના પત્ની દાણીલીમડા ખાતે PSI તરીકે ફરજ બજાવે છે, BRTSની બસે સિગ્નલ તોડીને બાઇકને અડફેટે લીધું હોવાનો આક્ષેપ.
  • અકસ્માતના બનાવને પગલે એમ ડિવિઝન ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ.
  • એક ભાઈને ટ્રેનિંગમાં મૂકવા જતા બીજા ભાઈનું અકસ્માત નડ્યો, બંનેના મોત
  • બસ મૂકીને ચાલક ફરાર
  • બીઆરટીએસ બસે પાંજરાપોળ પાસે બાઈકને અડફેટે લીધું હતું. બે સગા ભાઈઓના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા.
  • અકસ્માતને પગલે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો અને બસ પર પથ્થરમારો કર્યો હતો. જ્યારે બસ સળગાવવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો.
  • પોલીસ ઘટના સ્થળે પહોંચતા બસને નુકસાન પહોંચતું અટકાવાયું હતું. બે ભાઈઓના મૃતદેહો એક કલાક સુધી રોડ પર પડી રહ્યા હતા.
  • પોલીસ ઘટનાસ્થળે પહોંચતા વિલંબ કર્યો હોવાનો સ્થાનિકો આરોપ લગાવી રહ્યા છે. અકસ્માત બંને ભાઈઓના મોબાઈલ સ્ક્રિન લોક હતા જેના પગલે તેમના પરિવારજનોનો સંપર્ક કરવામાં હાજર લોકોને મુશ્કેલી પડી હતી
  • ગુજરાત યુનિવર્સિટી સાઈડથી આવી રહેલા બે સગા ભાઈ નયનભાઈ રામ અને જયેશભાઈ રામનું પાંજરાપોળ ચાર રસ્તા પાસે બીઆરટીએસની અડફેટે ઘટનાસ્થળ પર જ મૃત્યુ થઇ ગયું હતું.
  • ઘટનાના સાક્ષીઓને જણાવ્યા અનુસાર, મૃતક નયન રામ ICICI બેંક(તાલાલા)માં નોકરી કરતો હતો. જ્યારે નાનો ભાઈ જયેશ સચિવાલય (ગાંધીનગર)માં મહિલા અને બાળ વિકાસ વિભાગમાં નોકરી કરતો હતો.
  • પરંતુ મોટા ભાઈને ટ્રેનિંગ હોવાથી તે તાલાલાથી અહીં આવ્યો હતો અને નાના ભાઈ સાથે બાઈક પર ટ્રેનિંગ સ્થળે જવા નીકળ્યો હતો. બંને આઇઆઇએમ સ્થિત બ્રાન્ચ તરફથી પાંજરાપોળ બાજુ ટર્ન મારી રહ્યાં હતા. તે જ સમયે યુનિવર્સિટી તરફથી પુરપાટ ઝડપે આવતી બીઆરટીએસે બંને ભાઈઓના બાઈકને આગળના વ્હિલમાં કચડી નાંખ્યા હતા.
  • ઘટનાને પગલે સ્થાનિકો દ્વારા 25થી વધારે બીઆરટીએસને પાંજરાપોળથી નહેરૂનગરની વચ્ચે રોકીને પોતાનો રોષ ઠાલવ્યો હતો.
  • એક બીઆરટીએસ બસને પથ્થરમારીને નુકસાન પણ પહોચાડવામાં આવ્યું હતું.
  • સ્થાનિકો દ્વારા બસને સળગાવવાના પ્રયાસો કરાયા હતા. પરંતુ ઘટના સ્થળે પોલીસ આવી જતાં મામલો થાળે પડ્યો હતો.
  • ઘનાટને પગલે અકસ્માત સર્જનાર બીઆરટીએસનો ડ્રાઈવર ઘટનાસ્થળેથી બસ ફરાર થઇ ગયો હતો. જમ્પ મારીને નાસી છૂટ્યો હતો.
  • બાઈક ચાલકે હેલમેટ પહેર્યું હોવા છતાં તેનું મૃત્યુ બાઈક ચલાવનારનું થયું હતું ત્યારબાદ પાછળ બેસેલા વ્યક્તિને 20 મિનિટ સુધી 108 દ્વારા લાઈફ સેવિંગ ટ્રિટમેન્ટ કરીને જીવ બચાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ બંને તેનું પણ મોત નીપજ્યું હતું.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024