- રાજ્ય સરકારે આંતર રાજ્ય પોલીસચોકીઓ અને RTOની ચોકીઓ હટાવી દેવાનો નિર્ણય કર્યા બાદ ખુલ્લેઆમ લાંચ લેવામાં આવી રહી હતી.
- આજે બનાસકાંઠાના કુચાવાડા ચેકપોસ્ટ પરથી બે RTO અને એક ડ્રાઇવર લાંચ લેતા ઝડપાઈ ગયા છે.
- રાજ્યમાં લાંચ-રૂસ્વત વિરોધી અભિયાનના ભાગરૂપે ACB દ્વારા ઠેરઠેર દરોડા પાડવામાં આવી રહ્યા છે.
- અને છટકું ગોઠવી ભ્રષ્ટ અધિકારીઓને ઝડપી પાડવામાં આવી રહ્યા છે ત્યારે રાજસ્થાન બોર્ડર પાસે આવેલી ચેકપોસ્ટ નાબૂદ કરી હોવા છતાં ત્યાં RTO ખોટી રીતે પૈસા ઉઘરાવતા હોવાની રાવ મળી હતી.
- રાજ્ય સરકારની ભ્રષ્ટચાર વિરોધી ઝૂંબેશના ભાગરૂપે આજે ACBના છટકામાં RTO એન.ડી.ટંડેલ અને યુ.કે. પટેલને 300 રૂપિયાની લાંચ લેતા ઝડપી પાડ્યમાં આવ્યા હતા.
- સરકારે ભ્રષ્ટાચાર ઘટાડવાના અભિયાન અંતર્ગત આંતરાજ્ય ચેકપોસ્ટો દૂર કરી હતી.
- સરકારનો તર્ક હતો કે આ ચેકપોસ્ટના લીધે ભ્રષ્ટાચાર થાય છે અને લોકોને હાલાકી પડે છે.
- જોકે, ભ્રષ્ટાચારના ભોરિંગ હેઠળ દબાયેલા અધિકારીઓ સુધરવાનું નામ ન લેતા હોય એમ ખુલ્લેઆમ બેરોકટોક પૈસા ખંખેરી રહ્યા હતા.
- આ પર થી ઉલ્લેખનીય છે કે ગત વર્ષની સરખામણીએ વર્ષ 2020માં ACB વધુ સપાટો બોલાવશે.
- એન્ટિ કરપ્શન બ્યૂરો દ્વારા સ્પેશિયલ 44 પીઆઈની તાલિમ આપી તૈયાર કરવામાં આવ્યા છે અને રાજ્ય સરકારના જે જે વિભાગોમાં ભ્રષ્ટાચારની ફરિયાદો નથી આવી તેના પર નજર નાંખવામાં આવી છે, ત્યારે ભ્રષ્ટાચારના ભારા હેઠળ દબાયેલા RTOના બે લાંચિયા અધિકારી ઝડપાયા છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News