- બિહારના કૈમૂર માં જમીનના વિવાદના કારણે 9 લોકો પર ગોળીબાર કરાયો હતો.
- આ સમગ્ર ઘટના અંગત વિવાદ બાદ ખૂબ ઝડપથી વધ્યો અને તે બાદ બંને તરફથી તાબડતોબ ફાયરિંગ કરાવા લાગ્યું.
- મારપીટ અને ફાયરિંગની આ ઘટનામાં 18 લોકો ઘાયલ થયા છે, જેમાં 9 લોકોને ગોળી વાગી છે.
- આ ઘટના જિલ્લાના નુઆંવ થાણાંના સાતેય રવેતી ગામની છે.
- મળતી માહિતી અનુસાર ભૂમિ વિવાદ ચાલી રહ્યો હતો.
- જેને લઈને બંને પક્ષોમાં મારામારી શરૂ થઈ ગઈ હતી.
- ઘાયલોને પ્રાથમિક સારવાર કરાવ્યા બાદ તેમના વ્યવસ્થિત ઈલાજ માટે બનારસ ખસેડવામાં આવ્યા.
- ઘટનાની સૂચના પોલીસને મળતા જ પોલીસ ગામમાં પહોંચી અને તે બાદ આ પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો.
- આ ઘટના વિશે કૈમૂર એસપી દિલજવાન અહમદે જણાવ્યું કે જૂના વિવાદને લઈને બંને પક્ષોમાં મારામારી અને ગોળીબાર થયો છે. આ ઘટના બાદ 2 ઓરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
- એસપીએ જણઆવ્યું કે જે હથિયારથી ફાયરિંગ કરવામાં આવી હતી.
- તે હથિયાર પણ કબ્જે કરવામાં આવ્યું છે. એસપી એ જણાવ્યું છે કે આ બાબતે તપાસ ચાલી રહી છે.
- પોલીસના જણાવ્યા અનુસાર રાત હોવાના કારણે કેટલા લોકો હજી કેટલા લોકો ઘાયલ થયા છે તે જણાવવું મુશ્કેલ છે.
- રિફર કરાયેલા લોકો માંથી ઘણાં લોકોની હાલત નાજુક જણાવવામાં આવી રહી છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.