• ધો-10 અને 12 ની બોર્ડની પરીક્ષા માટે સુરત શહેર અને જીલ્લામાં ઘણા વિદ્યાર્થીઓ નોંધાયા છે. ત્યારે ગેરરીતી રોકવા બોર્ડ દ્વારા એપ લોન્ચ કરાઇ છે તેમજ જિલ્લા દીઠ બે વિજીલન્સ સ્કવોર્ડ ટીમોની નિમણુક કરી છે. બોર્ડની પરીક્ષાઓ માટે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા એકશન પ્લાન તૈયાર કરાયો છે.
  • પરીક્ષામાં ગેરરીતી રોકવા શિક્ષણ બોર્ડ દ્વારા અધિનિયમ 1972 કલમ 43 હેઠળ સજાની જોગવાઈ કરાઈ છે. ગેરરીતી કરતા ઝડપાનારા વ દોષિત સાબિત થતાં 3થી 5 વર્ષ સુધીની સજા અથવા 2 લાખ સુધીનો દંડ કરાઇ શકે છે અથવા તો બંને સજા પણ થઈ શકે છે. અગાઉ બે વર્ષ સુધીની કેદ અથવા 200 રૂપિયા દંડની જોગવાઈ હતી.
  • પરીક્ષામાં પેપર ન ફુટે અથવા તકેદારી રાખવા માટે બોર્ડ દ્વારા મોબાઈલ એપ્લીકેશન લોન્ચ કરાઈ છે. જેમાં દરેક સેન્ટરમાં સરકારી અધિકારીની હાજરીમાં પ્રશ્નપત્રનું બંધ કવર ખોલાશે. તે અંગેના ફોટો અને વિડીયો અપલોડ કરવાના રહેશે.
  • જો પરીક્ષા પહેલા વિદ્યાર્થીને મોબાઈલ કે સાહિત્ય લાવવા બદલ પસ્તાવો થાય તો પરીક્ષાખંડમાં પ્રવેશ કરે તે પહેલા પોતાની પાસેનું સાહિત્ય પશ્વાતાપ પેટીમાં નાખી શકશે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024