- નોન-કન્ટેનમેન્ટ ઝોનમાં 8 જૂનથી અનલોક 1.0 માટેની ગાઇડલાઇન જારી થઇ.
- દેશમાં અનલોક ૧.૦ના સમયગાળામાં ધાર્મિક સ્થળો, રેસ્ટોરન્ટ, શોપિંગ મોલ, ઓફિસ ખોલવા માટે કેન્દ્ર સરકારના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા વિસ્તૃત ગાઇડલાઇન ગુરુવારે મોડી સાંજે જારી કરાઇ હતી.
- સરકારના કહેવા મુજબ , ૬ ફૂટના સોશિયલ ડિસ્ટન્સિંગનું દરેક સ્થળે પાલન કરવાનું રહેશે.
![](https://i0.wp.com/ptndigitalmedia.com/wp-content/uploads/2020/06/restaurant-1024x768.jpg?resize=640%2C480&ssl=1)
- રેસ્ટોરન્ટમાં ડિસ્પોઝેબલ મેનૂ રાખવા, તથા લાઈનમાં સોશિયલ ડિસ્ટન્સિંગ
- દરવાજે ડિલિવરી આપવી, હાથમાં નહીં,ડાઇન ઇનને બદલે ટેક અવેને પ્રોત્સાહન
- સ્ટાફનું ફરજિયાત થર્મલ સ્ક્રીનિંગ કરવું
- લેવેટરી, પીવાનું પાણી, હાથ ધોવાના સ્થળસહિત પ્રિમાઇસિસમાં યોગ્ય સેનિટેશન
- પ્રવેશદ્વાર પર સેનિટાઇઝર, અને થર્મલ સ્ક્રીનિંગ
- સ્ટાફને ફરજિયાત માસ્ક સાથે જ પરવાનગી
- મર્યાદિત સંખ્યામાં ગ્રાહકોને પ્રવેશ આપવો
- બુફે સર્વિસમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું
- તેમજ લાઇનમાં સોશિયલ ડિસ્ટન્સિંગની જાળવણી
- ગ્રાહકો અને સ્ટાફ માટે અલગ એન્ટ્રી અને એક્ઝિટ, સીટિંગ એરેન્જમેન્ટમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું.
![](https://i0.wp.com/ptndigitalmedia.com/wp-content/uploads/2020/06/temple.png?w=640&ssl=1)
- ધાર્મિક અને પૂજા-અર્ચનાનાં સ્થળો માટેની ગાઇડલાઇન આ મુજબ છે.
- મંદિર,ચર્ચ કે મસ્જિદ જેવા ધાર્મિક-સ્થળોના પ્રવેશદ્વાર પર સેનિટાઇઝર, થર્મલ સ્ક્રીનિંગ ફરજિયાત, તથા કોરોનાના લક્ષણ પર પ્રવેશ નહીં
- ફેસમાસ્ક પહેરેલી વ્યક્તિને જ અંદર પ્રવેશ આપવો
- મર્યાદિત સંખ્યામાં લોકોને અંદર પ્રવેશ આપવો
- તેમજ જૂતાં, ચંપલ પોતાના વાહનમાં જ ઉતારવાં
- પાર્કિંગ ર્પ્લોટ, પ્રિમાઇસિસ, લાઇનમાં સોશિયલ ડિસ્ટન્સિંગ ફરજિયાત રહેશે
- એન્ટ્રી અને એક્ઝિટ એકજ જગ્યાએ ના રાખતા અલગ રાખવા
- લોકોએ સાબુ વડે હાથ ધોઇને જ અંદર પ્રવેશવું
- તેમજ મૂર્તિ, પ્રતિમા, પવિત્ર ગ્રંથને અડી શકાશે નહીં
- ક્વાયર અને ભજનમંડળીને પરવાનગી નહીં તેથી રિકોર્ડેડ ભજન-ગીત વગાડવાં
- પોતાની શેતરંજી સાથે લઇ આવવી, કોમન પ્રેયર શેતરંજીઓ ટાળવી, નિયમિત સફાઇ રાખવી
- આ પણ વાંચો: 38 દિવસ પછી થશે માતા અને દીકરીનું મિલન.
- આદુના આ નુસખાઓ કરશે શરીરની તકલીફો દૂર
- N-95 માસ્ક કેટલું છે સુરક્ષિત? જાણીએ
- તથા પ્રસાદ કે હોલી વોટર છાંટવા પર પ્રતિબંધ
- પ્રિમાઇસિસમાં સેનિટાઇઝેશન જરૂરી રહેશે
- તેમજ ફેસમાસ્ક અને ગ્લોવ્ઝના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવી
![](https://i0.wp.com/ptndigitalmedia.com/wp-content/uploads/2020/06/oberoimall-1024x683.jpg?resize=640%2C427&ssl=1)
- ગેમિંગ આર્કેડ, ચિલ્ડ્રન પ્લે એરિયા ખોલી શકાશે નહીં, મોલમાંના સિનેમા હોલ બંધ રહેશે
- ત્યાંના પ્રવેશદ્વાર પર સેનિટાઇઝર, થર્મલ સ્ક્રીનિંગ ફરજિયાત, અને જેને પણ કોરોનાના લક્ષણ દેખાય તેને પ્રવેશ નહીં અપાય
- ફેસ માસ્ક હશે તો જ તમામ કામદાર, ગ્રાહકોને પ્રવેશ, મોલમાં તમામ સમયે ફેસમાસ્ક ફરજિયાત, તેની સાથે જ કોરોના જાહેરાતોનો ડિસપ્લે પણ રાખવો
- મુલાકાતીઓની સંખ્યા મર્યાદિત રહેશે
- લિફ્ટમાં વ્યક્તિઓની સંખ્યા પર નિયંત્રણ રહેશે.
- એસ્કેલેટર પર ઓલ્ટરનેટ સ્ટેપ પર એક વ્યક્તિને જ પરવાનગી આપવામાં આવે.
- ફૂડ કોર્ટ સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે ગ્રાહકોને પ્રવેશ, બેઠક વ્યવસ્થાના ૫૦ ટકાથી વધુ ગ્રાહક નહીં
- સ્ટાફ માટે માસ્ક અને ગ્લોવ્ઝ ફરજિયાત રહેશે
- તેની સાથે જ ઓર્ડર લેતી વખતે ઓછામાં ઓછો સંપર્ક
- દરેક ગ્રાહક જાય પછી ટેબલનું સેનિટાઇઝેશન, કિચન સ્ટાફમાં સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News