- ભારતમાં છેલ્લા 24 કલાકમાં દેશમાં 9,851 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે. અને 273 લોકોનાં મોત થયા છે.
- કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ અનુસાર, દેશમાં કુલ 2,26,770 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા જેમાં 1,10,960 એક્ટિવ કેસ છે.
- તે સાથે 1,09,462 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.
- ભારતમાં કોરોના વાયરસના કારણે મોતનો આંકડો 6,348એ પહોંચી ગયો છે.
India reports 9,851 new #COVID19 cases & 273 deaths in the last 24 hours. Total number of cases in the country now at 2,26,770 including 1,10,960 active cases,1,09,462 cured/discharged/migrated and 6348 deaths: Ministry of Health and Family Welfare pic.twitter.com/yGNag5tgP3
— ANI (@ANI) June 5, 2020
- બુધવારે દેશમાં 9304 નવા કેસ આવ્યા હતા અને એક જ દિવસમાં 260 દર્દીઓએ મૃત્યુ પામ્યા હતા.
- ગુજરાતમાં ગુરુવાર સાંજના 5 વાગ્યા સુધી કોરોના વાયરસના 492 નવા કેસ નોંધાયા છે.
- રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ અમદાવાદ શહેરમાં 291 કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ 18,609 કેસ થયા છે.
- આ પણ જુઓ : વડોદરા શહેરની કલા અને સંસ્કૃતિના નગર તરીકેની ઓળખાય છે.વધુ એકવાર આ વાતને સાચી સિદ્ધ કરી છે.
- રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં-291, મહેસાણામાં-9, પંચમહાલમાં-3, બોટાદમાં-1, ખેડામાં-4, જામનગરમાં-1, ભરૂચમાં-1, વડોદરામાં-39, ગાંધીનગરમાં-21, ભાવનગરમાં-2, બનાસકાંઠામાં-6, આણંદમાં-4, રાજકોટમાં-2, સુરતમાં-81, અરવલ્લીમાં-4, સાબરકાંઠામાં-4, દાહોદમાં-4, કચ્છમાં-1, નર્મદા-1, દ્વારકામાં-1 સુરેન્દ્રનગર-1 અને રાજ્યના અન્ય 8 કેસ મળીને કુલ 492 કેસ પોઝિટિવ નોંધાયા છે.
- રાજ્યમાં 33 દર્દીઓ દરમિયાન જેમાં અમદાવાદમાં 28 જ્યારે બોટાદ, કચ્છ, ગાાંધીનગર, પાટણ અને વલસાડમાં 1-1 દર્દીના મોત થયા છે.
- રાજ્યમાં કુલ મૃત્યુઆંક 1155 થયો છે.આ રીતે કોરોનનો કહેર વધતો જઈ રહ્યો છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News