ખેલૈયા 2018 અણહિલ ગ્રુપ ઓફ પાટણ દ્વારા પ્રગતી મેદાન ખાતે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી.
માઁ ની આરાધના નું રૂડું પર્વ એટલે નવરાત્રી નવરાત્રી નું મહત્વ ગુજરાત માં સૌથી વધુ જોવા મળે છે.
પાટણ શહેરમાં અણહિલ ગ્રુપ ઓફ પાટણ દ્વારા ખેલૈયા 2018 નું સુંદર આયોજન કરવામાં આવ્યું છે . પાટણ ની ધાર્મિક પ્રજા માઁ ની આરાધના કરી શકે તે માટે અણહિલ ગ્રુપ દ્વારા તારીખ 10/10/2018 થી 19/10/2018 સુધી પ્રગતી મેદાન પાટણ ખાતે નવરાત્રીનું સુંદર આયોજન કરેલું છે જેને ધ્યાને લઇ અણહિલ ગ્રુપ દ્વારા એક પ્રેસ કોન્ફોરન્સ નું આયોજન કરવામાં આવ્યું હતું.
ખેલૈયા ૨૦૧૮ નવરાત્રી મહોત્સવ ના આયોજન ની માહિતી આપવા પ્રેસ કોન્ફરન્સ કરેલ. જેમાં સન્માનિય શ્રી કે.સી.પટેલ (પ્રદેશ ભાજપ મહામંત્રી) ની અઘ્યક્ષસ્થાને સાથે અણહીલ ગ્રુપ ના પ્રેસિડેન્ટ શૈલેશ ખમાર, કિશોરભાઈ મહેષ્વરી, મનોજભાઈ પટેલ, સતિષભાઈ ઠક્કર, રાજુભાઈ સોની,એચ.કે.પટેલ અને પ્રોજેક્ટ – કો.પ્રો ચેરમેન અને અણહીલ ગ્રુપ ના સભ્યો હાજર રહેલ…