મોરબી જીલ્લામા એસપી રહેલ અને પ્રોબેશનલ આઈપીએસ તરીકે ફરજ બજાવી ચૂકેલા અને હાલ તથા અમદાવાદ ઝોન ૦૫ ડીસીપી તરીકે ફરજ બજાવી ચુકેલ અક્ષયરાજ મકવાણા પાટણ શહેરમાં એસ.પી તરીકે નિમણુંક કરવામાં આવી છે
![](https://i0.wp.com/ptndigitalmedia.com/wp-content/uploads/2019/10/67312916_10219962753881988_1863349747230703616_o-1-1024x768.jpg?resize=640%2C480&ssl=1)
IPS અક્ષયરાજ મકવાણા હાલના યુવાનનો માટે ખુબજ પ્રેરણા રૂપ છે. આઈપીએસ અક્ષયરાજ મકવાણા ના પિતા ભીમજીભાઈ મંગાભાઈ મકવાણા એક નિવૃત બેન્ક કર્મચારી છે. જ્યારે માતૃશ્રી કમલાબહેન ગૃહીણી છે તેમને બે બહેનો છે, બે બહેનોમાં વચ્ચેના એક લાડકા ભાઈ અક્ષયરાજ છે. તેઓએ પોતાના જીવન ના શિક્ષણ ની શરૂઆત રાજકોટ ખાતેની સેન્ટ મેરી સ્કુલ થી કરી હતી ભણવામા અત્યંત તજજ્ઞ અને સ્વભાવ મા અત્યંત પ્રભાવશાળી કોમળ તેમજ સ્પષ્ટ વક્તા એવા અક્ષયરાજ સાયન્સ પ્રવાહમા સારા માર્કસ સાથે ઉતીર્ણ થયા બાદ અમદાવાદ ખાતે નિરમા યુનિવર્સીટી મા ઈલેક્ટ્રીકલ એન્જીનીયરીંગ તેમજ એલ.ડી.એન્જીનીયરીંગ કોલેજમા માસ્ટર ડીગ્રી સાથે પાવર સીસ્ટમ માં એન્જીનીયરીંગ પુર્ણ કર્યુ હતુ.
![](https://i0.wp.com/ptndigitalmedia.com/wp-content/uploads/2019/10/13567210_10210008369108590_6583433581274430428_n.jpg?resize=640%2C480&ssl=1)
અક્ષયરાજ મકવાણા બંન્ને ડીગ્રીઓમાં સારા ગ્રેડ સાથે ઉતીર્ણ થયા બાદ તેના મુળ વતન રાજકોટ માં જ ગવર્મેન્ટ પોલીટેકનીક કૉલેજ મા લેકચરર તરીકે પ્રશંશનીય નોકરી કરતાની સાથે વૃધ્ધો, અનાથ બાળકોને પણ તેઓ સમય આપી અને જરૂરીયાતો પુરી પાડી માનવતા મહેકાવતા હતા ત્યાર બાદ તેઓએ પોતાના લક્ષ્ય તરફ મીટ માંડી હતી અને સીવીલ સર્વીસ ની પરિક્ષા વર્ષ ૨૦૧૩મા પાસ કરી આઈપીએસ તરીકે પસંદગી પામ્યા હતા. બાદમા તેઓની ટ્રેનીંગ પુરી થતા 22 ડીસેમ્બર ૨૦૧૪ના રોજ પ્રથમ ગુજરાતના ગોધરા ખાતે પ્રોબેશનલ આઈપીએસ તરીકે પોસ્ટીંગ આપવામાં આવ્યુ હતુ બાદમાં મોરબી, દીયોદર, રાજપીપળા ને સારી કામગીરી ને ધ્યાને લઈ ફરી વખત મોરબીમાં એએસપી તરીકે મુક્યા છે જેમા દીયોદર મા એએસપી દરમ્યાન ની તેમની કામગીરી પણ કાબીલેદાદ હતી.
![](https://i0.wp.com/ptndigitalmedia.com/wp-content/uploads/2019/10/13669451_10210054221534872_1039473454962366015_o.jpg?resize=640%2C480&ssl=1)
બનાસકાંઠા માં આવેલ વિનાશકારી પુરની અત્યંત વિકટ પરિસ્થીતીઓમાં તે દીયોદર જીલ્લામાં એએસપી તરીકે મહત્વની ભુમીકામાં હતા આ સમયગાળા માં પણ તેઓએ અનેક રેસક્યુ ઓપરેશન હાથ ધરી અસંખ્ય લોકો ના જીવ બચાવ્યા હતા ,આ ઉપરાંત દિયોદર ના દાતા તાલુકામાંથી બે આદીવાસી બાળકીઓ ને શીહોરી માં વેચી નાખવામા આવેલ હતી તે બંન્ને બાળકીઓ ને ચોવીસ કલાક માં શોધી તેની માતા ને સોંપી માનવતા નુ ઉત્તમ ઉદાહણ પુરૂ પાડી પોલીસ વન ઓફ રીયલ હીરો ના કથન ને સત્ય સાબીત કર્યુ હતુ.
પાટણ શહેરની તમામ જનતા તથા PTN News પરિવાર એસ.પી અક્ષયરાજ મકવાણા સરનું હાર્દિક સ્વાગત કરેછે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.