• એલઆરડી ભરતી વિવાદને લઈને એડવોકેટ જનરલે કોર્ટમાં જવાબ રજૂ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે સરકારે ભરતી મામલે વધુ કેટલાક નિર્ણયો કર્યા છે, જેમાં હવેથી 125 માંથી 62.5 માર્ક્સ જેને હોય તેની ભરતી કરવામાં આવશે. સરકાર દ્વારા 2485 નવી પોસ્ટ ઉભી કરવામાં આવી છે અને આગામી ત્રણ અઠવાડિયામાં માં તમામ બાકી રહેલા ઉમેદવારની નિમણૂંક કરવામાં આવશે. કોર્ટમાં એડવોકેટ જનરલે રજુઆત કરતા જણાવ્યું હતું કે 1/8/2018નો પરિપત્ર હાલમાં અમલી નહીં બને. 3/09/2014ના પરિપત્ર મુજબ સરકાર કાર્યવાહી કરશે. કોર્ટે આ કેસમાં વધુ સુનાવણી 11મી માર્ચે રાખી છે.
  • એલઆરડી પરીક્ષામાં પાસ થયેલી બિન અનામત વર્ગની 254 યુવતીઓએ હાઈકોર્ટમાં પિટિશન કરી હતી. LRD મામલે રાજ્ય સરકાર પાસે નિમણૂંક પત્રની માગને લઈને યુવતીઓ દ્વારા આ પિટિશન કરાઈ હતી. પાસ થયેલી 1578 પૈકી 254 યુવતીઓએ હાઈકોર્ટમાં અરજી કરી પાસ થયેલી યુવતીઓને તાત્કાલિક નિમણૂંક પત્ર આપવામાં આવે તેવી રજૂઆત કરી હતી.
  • તો બીજી તરફ મહિલાઓની જનરલ કેટેગરીના મેરીટ લિસ્ટના વિવાદમાં સરકાર વતી એડવોકેટ જનરલે કોર્ટમાં એવું નિવેદન પણ આપ્યું હતું કે બે દિવસમાં રાજ્ય સરકાર આ મુદ્દે નવો જી.આર. બહાર પાડશે અને અરજદારોની માંગણી નવા જી.આર. અંતર્ગત સંતોષાઇ જશે તેવી આશા વ્યક્ત કરી હતી.આ ભરતી પ્રક્રિયા જ્યારથી શરૂ થઈ છે ત્યારથી વિવાદમાં આવી છે. હવે તો બિનઅનામત વર્ગ અને અનામત વર્ગ સામસામે આવી ગયા છે. આ વચ્ચે સરકારે આ પરિપત્રમાં સુધારો કરવાની જાહેરાત કરી હતી. જેમાં તેમણે કહ્યું કે, એલઆરડી સંદર્ભે 1-8-18નો પરિપત્ર છે તેમાં કોઇ પણ વિસંગતતાઓ હશે તો તેને સરકાર દ્વારા દુર કરવામાં આવશે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024