•  ઓડિશામાં સંબલપુરની નજીક 2 હજારની વસ્તી ધરાવતું ગામ છે,ભત્રા. ત્યાંના લોકો તેને ભટારા પણ કહે છે.
  • સંબલપુર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું મંદિર છે અને સવારે-સાંજે પૂજા અને રામધૂન થાય છે.
  • ઘણા વર્ષોથી લોકો ગાંધીજીને ભગવાન સ્વરૂપે પૂજી રહ્યાં છે.
  • ગાંધી મંદિર આ ગામનો એક એવો મંચ છે કે જ્યાં ઘર કંકાશથી લઈ પાડોશી સુધીના ઝઘડાનો ઉકેલ આવે છે.
This image has an empty alt attribute; its file name is images-4-1.jpg
  • યુવાનોને ગુનો તથા નસો નહીં કરવાની શિખામણ અપાય છે.
  • નવી આવેલી પુત્રવધૂ સાસરામાં પગલું મૂકે તે પહેલાં આશીર્વાદ લેવા ગાંધી મંદિર જાય છે.
  • ત્યાં હાથમાં ગીતા લઈને બેઠેલા ગાંધીજીની પ્રતિમા છે. અહીં આરાધ્ય દેવ શ્રીજગન્નાથની પણ પ્રતિમા છે.
This image has an empty alt attribute; its file name is ganhdi_1580327820.jpg
  • ગામના 83 વર્ષના કાલિયા વાઘ રોજ પૂજા કરે છે. તેઓ કહે છે કે મંદિરનો પાયો નાંખનાર 93 વર્ષના માજી ધારાસભ્ય અભિમન્યુ કુમાર રોજ અહીં આવે છે.
  • ગામના વૃદ્ધ તિકેશ્વર છૂરીયા અને વનમાળીકુમારને ગાંધીજી માણસના સ્વરૂપે ભગવાન લાગે છે. તેમનું કહેવું છે કે ભત્રાના લગભગ તમામ ઘરોમાં ગાંધીજીનો ફોટો છે.
This image has an empty alt attribute; its file name is images-5-1.jpg
  • ગામની સૌથી મોટી સિદ્ધિ એ છે કે અહીં કોઈ નશો કરતું નથી.
  • જો કોઈ વખતે વિવાદ થાય તો ગાંધીજીના સોગંધ ખાઈને તેનો ઉકેલ લાવવામાં આવે છે. પોલીસ પાસે પણ કોઈ કેસ જતો નથી.તેઓ તેનું ચુસ્ત પાલન કરે છે.
  • ભત્રાના પ્રથમ ધારાસભ્ય અભિમન્યુ કુમારે મંદિરનો પાયો નાંખ્યો હતો. તેમને બધાને સાથે લઈ 11 એપ્રિલ 1974માં તેનું નિર્માણ કર્યું હતું.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024