- રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા એ એટીએમ કાર્ડ એટલે કે ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ અંગે નવા નિયમો રજૂ કર્યા છે.
- આરબીઆઈએ બેન્કોને કહ્યું છે કે ભારતમાં કાર્ડ ઈશ્યૂ કરતા સમયે એટીએમ અને પીએસઓ ઉપર માત્ર ડોમેસ્ટિક કાર્ડના ઉપયોગની જ મંજૂરી આપે.
- આરબીઆઈ તરફથી આવેલા નિવેદન પ્રમાણે આંતરરાષ્ટ્રીય લેવડદેવડ માટે અલગથી મંજૂરી લેવી પડશે.
- આ ઉપરાંત ઓનલાઈન લેવદદેવડ, કાર્ડ નહીં હોવાથી લેવડદેવડ અને કોન્ટેક્ટલેસ લેવડદેવડ માટે ગ્રાહકોએ પોતાના કાર્ડ ઉપર સેવાઓ અલગથી સેટ કરાવી પડશે.
- આ નિયમ આગામી 16 માર્ચ 2020થી નવા કાર્ડો માટે લાગું પડશે.
- RBIએ બેન્કોને કહ્યું છે કે, ડેબિટ અને ક્રેડિટ કાર્ડ રજૂ કરતા સમયે હવે ગ્રાહકોને સ્થાનિક ટ્રાન્જેક્શનની મંજૂરી આપવી જોઈએ.
- આનો મતલબ એ થાય કે જો જરૂરિયાત નથી તો એટીએમ માંથી પૈસા કાઢવા અને પીઓએસ ટ્રમિનલ ઉપર શોપિંગ કરવા માટે વિદેશી ટ્રાન્જેક્શનની મંજૂરી આપવામાં આવે.
- આંતરરાષ્ટ્રીય લેવડદેવડઃ
- ઓનલાઈન લેવડદેવડ અને કોન્ટ્રેક્ટલેન્સ કાર્ડથી લેવડદેવડ માટે ગ્રાહકોને અલગથી પોતાની પ્રાથમિક્તા નોંધાવવી પડશે.
- 3..
- ગ્રાહકોને જરૂરિયાત હોય તો જ આ સેવાની મંજૂરી મળશે. આ માટે અલગથી અરજી કરવી પડશે.
- ગ્રાહક 24 કલાક અને સાતે દિવસ પોતાના ટ્રાન્જેક્શ લિમિટને ગમે ત્યારે બદલી શકે છે.
- સરળ શબ્દોમાં કહીએ તો તમે તમારા એટીએમ કાર્ડને મોબાઈલ એપ, ઈન્ટરનેટ બેકિંગ, એટીએમ મશીન જઈને, આઈવીઆર થકી કાર્ડની ટ્રાન્જેક્શન લિમિટ નક્કી કરી શકો છો.
- આરબીઆઈ તરફથી રજૂ નવા નિયમ પ્રીપેડ ગિફ્ટ કાર્ડ ઉપર લાગુ નહીં પડે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News