Rajinikanth
દક્ષિણના સુપરસ્ટાર રજનીકાન્તે (Rajinikanth) પોતાના ખરાબ સ્વાસ્થયને ધ્યાનમાં રાખીને રાજકારણમાં આવવાનો નિર્ણય બદલી નાખ્યો છે. રજનીકાન્તના બ્લડપ્રેશરમાં ચડ-ઊતર થતા તેમને હોસ્પિટલમાં સારવાર માટે રાખવામાં આવ્યા હતા.
બે દિવસ પછી તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ડોકટરે તેમને એક અઠવાડિયાનો બેડ રેસ્ટ અને ઓછામાં ઓછી ફિઝિકલ એકટિવિટીઝ અને કોરોનાથી બચવાની સલાહ આપી છે.
આ પણ જુઓ : સાંતલપુર : સાંતલપુર સિંઘાડા પાટિયા પાસે અર્ટિકાં ગાડી ને નડયો અકસ્માત.
રજનીકાન્તે જણાવ્યું હતુ કે, મારા આ ફેંસલાથી મારા ચાહકો નિરાશ થશે, પરંતુ મને ખાતરી છે કે તેઓ મને માફ કરશે. તે પોતાના સમર્થકોને કોઇ પણ રીતે તકલીફ આપવા માંગતા નથી. સ્વાસ્થ્ય કથળતા તેમણે આ નિર્ણય બદલી નાખ્યો છે.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.