- પ્રાંતિજ ના અમિનપુર ખાતે રહેતા પટેલ વસંત ભાઇ ભકિતભાઇ ઉ.વર્ષ-૪૫ કે જેવો પોતાના ખેતરમાં બપોર ના સમયે ગયા હતાં અને ખેતર મા પાણી વાળી રહ્યાં હતાં તે દરમ્યાન અચાનક વિજકરટ લાગતા તેવો ઉછળી ને પડયા હતાં
- તો વિજ કરંટ લાગતા ગળુ માથાં નો ભાગ સહિત પેટ નો ભાગ બળી ગયો હતો તો બુમાબુમ થતા આજુબાજુમાંથી લોકો દોડી આવ્યા હતાં અને ૧૦૮ ને ફોન કરતાં ૧૦૮ તાત્કાલિક ધટના સ્થળે દોડી આવી હતી અને ખેડૂત ને પ્રાંતિજ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવી હતી પણ હાજર તબીબી ર્ડા. હર્ષ પટેલ દ્વારા ખેડૂત વસંતભાઇ ભકિતભાઇ પટેલ ને મૃત જાહેર કરવામાં આવ્યાં હતાં તો આ અંગેની જાણ પ્રાંતિજ પોલીસ ને કરવામાં આવી હતી
- ગામમાં આ સમાચાર વાયુવેગે પ્રસરી જતા ગામમાં શોકનું મોજુ પ્રસરી ગયું હતું તો મુતક વસંતભાઇ ને એક પુત્ર અને પુત્રી છે તો પ્રાંતિજ પોલીસ મા મૃતક વસંતભાઇ નો ભત્રીજો અશ્વિનભાઈ ધનજીભાઈ પટેલ દ્વારા ફરીયાદ કરતા પ્રાંતિજ પોલીસે અકસ્માત નો ગુનોનોધી આગળ ની તપાસ હાથધરી છે .
પાટણ જિલ્લાના દરેક સમાચાર જુઓ અમારી YouTube ચેનલ પર. તો આજેજ અમારી ચેનલને નીચે આપેલી લિંક પર ક્લિક કરી Subscribe કરો
👇👇👇👇👇👇👇👇👇👇👇