- સુરતના કતારગામ વિસ્તારમાં આવેલ તરણકુંડ રોડ પર આવેલ કોમ્યુનિટી હોલ પાસે એક યુવાનની લાશ મળી આવી હતી. આ લાશ એક ભિક્ષુકની હોવાનું સામે આવ્યું હતું. આ ઘટનામાં પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી છે.
- મળતી માહિતી મુજબ, આ આરોપીઓ ભંગારનાં ધંધા સાથે જોડાયેલા હતા, અને આ ભિક્ષુક સાથે મળીને ભંગારનો ધંધો કરતા હતા.
- ધંધામાં પૈસાની લેવડ દેવળ મામલે થયેલા ઝઘડામાં હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. આ મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
- પોલીસે આ મામલે ત્રણ ટીમ બનાવીને અલગ-અલગ દિશામાં તપાસ શરૂ કરી હતી.જેમાં પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી હતી.
- જાણકારી મુજબ મરનાર ઈસમનું નામ શિવા ઉર્ફે કાળું બિહારી હોવાનું સામેં આવ્યું હતું.
- આ પણ જુઓ : વડોદરા શહેરની કલા અને સંસ્કૃતિના નગર તરીકેની ઓળખાય છે.વધુ એકવાર આ વાતને સાચી સિદ્ધ કરી છે.
- આ આરોપીઓ મરનાર યુવક સાથે ભંગારના ધંધામાં જોડાયેલા હતા. પૈસાની લેવડ દેવડ મામલે ઝઘડો થતા આ યુવકને માથા પર પથ્થર મારી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો.
- પોલીસે આ મામલે આરોપી સંજય ઉર્ફે નાનું સુનીલ મિશા, પીન્ટુ ઉર્ફે વિજય હરીલાલ યાદવ અને રફીક ઉર્ફે ભરે ફિરોઝ ખાનની ધરપક કરી છે.
- હાલમાં ચાલી રહેલા કોરોના વાયરસના કારણે સરકારની ગાઈડલાઈન્સ પ્રમાણે આ આરોપીઓના કોરોનાના ટેસ્ટ પણ કરવામાં આવ્યા હતા. જે નેગેટીવ આવ્યા છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News