• સુરતના કતારગામ વિસ્તારમાં આવેલ તરણકુંડ રોડ પર આવેલ કોમ્યુનિટી હોલ પાસે એક યુવાનની લાશ મળી આવી હતી. આ લાશ એક ભિક્ષુકની હોવાનું સામે આવ્યું હતું. આ ઘટનામાં પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી છે.
  • મળતી માહિતી મુજબ, આ આરોપીઓ ભંગારનાં ધંધા સાથે જોડાયેલા હતા, અને આ ભિક્ષુક સાથે મળીને ભંગારનો ધંધો કરતા હતા.
  • ધંધામાં પૈસાની લેવડ દેવળ મામલે થયેલા ઝઘડામાં હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. આ મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
  • પોલીસે આ મામલે ત્રણ ટીમ બનાવીને અલગ-અલગ દિશામાં તપાસ શરૂ કરી હતી.જેમાં પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી હતી.
  • જાણકારી મુજબ મરનાર ઈસમનું નામ શિવા ઉર્ફે કાળું બિહારી હોવાનું સામેં આવ્યું હતું.
  • આ આરોપીઓ મરનાર યુવક સાથે ભંગારના ધંધામાં જોડાયેલા હતા. પૈસાની લેવડ દેવડ મામલે ઝઘડો થતા આ યુવકને માથા પર પથ્થર મારી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો.
  • પોલીસે આ મામલે આરોપી સંજય ઉર્ફે નાનું સુનીલ મિશા, પીન્ટુ ઉર્ફે વિજય હરીલાલ યાદવ અને રફીક ઉર્ફે ભરે ફિરોઝ ખાનની ધરપક કરી છે.
  • હાલમાં ચાલી રહેલા કોરોના વાયરસના કારણે સરકારની ગાઈડલાઈન્સ પ્રમાણે આ આરોપીઓના કોરોનાના ટેસ્ટ પણ કરવામાં આવ્યા હતા. જે નેગેટીવ આવ્યા છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024