- ટાટા સ્કાય દેશની સૌથી વધુ લોકપ્રિય ડીટીએચ સર્વિસ આપતી કંપની છે.
- Tata Skyના ગ્રાહકો માટે સારાં સમાચાર છે.70 લાખ સબસ્ક્રાઈબર્સ વાળી Tata Sky કંપની બિલ ઓછું કરવા માટે ચેનલો અથવા પેકની સંખ્યામાં ઘટાડો કરશે.
- ટાટા સ્કાયએ 350 રૂપિયા અથવા તેનાથી ઓછાં બિલની ચૂકવણી કરનાર ગ્રાહકોને આકર્ષવા માટે આ નિર્ણય લીધો છે.
- લોકડાઉનને કારણે છેલ્લા 2 મહિનામાં 15 લાખ ગ્રાહકોએ ટાટા સ્કાયની સર્વિસ લેવાનું બંધ કરી દીધું છે.
- ગ્રાહકોને ટાટા સ્કાયની સર્વિસ ખૂબ જ મોંઘી લાગતી હોવાથી તેઓ પોતાના સબસ્ક્રીપ્શનને રિન્યૂ કરાવતા નથી.
- 70 ટકા લોકોએ બિલ ઓછું કરવા માટે ઓછી ચેનલો લેવાનું શરૂ કર્યું છે.
- તે ઉપરાંત નવું કન્ટેન્ટ અને લાઈવ સ્પોર્ટ્સ ન હોવાને કારણે દર્શકોનો ઈન્ટરસ્ટ ઘટી રહ્યો છે.
- તેમજ કોરોના મહામારીનમાં પણ ઘણાં ગ્રાહકો આર્થિક તંગીને કારણે લોકો રિચાર્જ નથી કરાવી રહ્યાં.
- ટાટા સ્કાયના એમડી હરિત નાગપાલે જણાવ્યું કે માર્ચમાં 10 લાખ ઇનએક્ટિવ ગ્રાહકો અમારા પ્લેટફોર્મ સાથે પાછા જોડાયા હતા.પરંતુ એપ્રિલમાં 10 લાખ જતા રહ્યા અને ત્યારબાદ મે મહિનામાં 5 લાખ લોકોએ રિચાર્જ કરાવ્યું નહીં.
- જેથી ગ્રાહકોને ગુમાવવા કરતાં અમે કેટલાક પેક અને ચેનલોને ઘટાડી દઈશું. જેથી તેમનું માસિક બિલ ઘટી જશે.
- ટાટા સ્કાયના 1.80 કરોડ સબસ્ક્રાઈબર છે. કંપનીએ જણાવ્યું કે, આ ફેરફારથી 60-70 લાખ સબસ્ક્રાઈબરને ફાયદો થશે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News