Tax
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે ઈમાનદારીપૂર્વક ટેક્સ (Tax) ચુકવનારા કરદાતાઓ માટે એક યોજના લાવી રહ્યા છે. જેનું નામ છે ‘પારદર્શી કરાધાન-ઈમાનદાર કા સમ્માન’ યોજના શરૂ કરશે. આ આયોજનમાં પીએમ મોદી કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સિતારમણ અને રાજ્યમંત્રી રાજ્યવર્ધન સિંહ સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વાત કરશે.
આ પણ જુઓ : PMO એ covid-19 મામલે 10 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કરી વર્ચ્યુઅલ બેઠક
વડાપ્રધાન 13 ઓગસ્ટના રોજ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ‘પારદર્શી કરાધાન-ઈમાનદાર કા સમ્માન’ મંચની શરૂઆત કરશે. તે દરમિયાન છેલ્લા 6 વર્ષમાં ડાયરેક્ટ ટેક્સના મોર્ચે સુધારો કરવામાં આવ્યો છે. સુધારામાં છેલ્લા વર્ષ કંપની ટેક્સની દરને 30%થી ઘટાડીને ટેક્સ (Tax) 22% કરવા અને નવી વિનિર્માણ યુનિટ માટે 15% કરવા અને લાભાંશ વિતરણ ટેક્સ હટાવવા, અધિકારી અને કરદાતાઓનો આમનો સામનો થયા વિના આકારણી શરૂ છે.
આ પણ જુઓ : independence day : ન્યૂયોર્ક શહેરમાં પહેલીવાર ટાઇમ સ્ક્વેર પર ત્રિરંગો લહેરાશે
આ નિવેદનમાં કહેવામાં આવ્યું છે, આવકવેરા વિભાગના કામકાજમાં દક્ષતા અને પારદર્શિતા લાવવા માટે સીબીડીટી દ્વારા ઘણી પહેલ કરવામાં આવી છે. ટેક્સ સુધારા હેઠળ ટેક્સના દરોમાં ઘટાડો કરવા અને ડાયરેક્ટ ટેક્સ કાયદાને સરળ કરવા પર ભાર આપવામાં આવી રહ્યો છે.