આ રક્ષાબંધન પર રાખડી બાંધવાનો શુભ મૂહૂર્ત જાણો PTN News

પોસ્ટ કેવી લાગી?

ભારત તહેવારોનો દેશ છે. અને તેમાં રક્ષાબંધનનો તહેવાર આવે છે. રક્ષાબંધન એટલે ભાઇ-બહેનનો તહેવાર છે. તેનું બીજુ નામ ‘બળેવ’ છે. આ વર્ષે 26 ઓગસ્ટને ના દિવસે રક્ષાબંધનનો તહેવાર છે. આ વર્ષ સારી વાત આ છે કે રક્ષાબંધનના દિવસે ભદ્રા નથી. તેથી સવારે થી રાત સુધી બહેન પોતાના ભાઈને રાખડી બાંધી શકશે.  પણ વચ્ચે વચ્ચે થોડો સમય સાચવવો પડશે કારણકે અશુભ ચોઘડિયા, રાહુકાળ, યમ ઘંટા અને ગુલી કાળ રહેશે.

the-best-way-to-build-a-racket-on-raksha-bandhan-india2

જાહેરાત

જ્યોતિષ પંચાગ મુજબ પૂર્ણિમા તિથિ 25 ઓગસ્ટને બપોરે 3 વાગીને 16 મિનિટ થી શરૂ થઈ જશે. જે 26 ઓગસ્ટની સાંજે 5 વાગીને 25 મિનિટ સુધી રહેશે. આ દિવસે ધનિષ્ઠા નક્ષત્ર બપોરે 12.35 સુધી રહેશે.

રક્ષાબંધનનો મૂહૂર્ત 26 ઓગસ્ટને સવારે 7.43 થી બપોરે 12.278 સુધી રહેશે.

ત્યારબાદ બપોરે 2.03 થી 3.38 વાગ્યા સુધી રહેશે.

સાંજે 5.25 પર પૂર્ણિમા સમાપ્ત થઈ જશે. પણ સૂર્યોદય વ્યાપિની તિથિ હોવાના કારણે રાત્રિમા રાખડી બાંધી શકાશે. 

શુભ મૂહૂર્ત:

  • સવારે  7.43 થી 9.18 સુધી ચર
  • સવારે  9.18 થી  10.53 સુધી લાભ
  • સવારે 10.53 થી  12.28 સુધી અમૃત
  • બપોરે 2.03 થી 3.38 સુધી શુભ
  • સાંજે 6.48 થી 8.13 સુધી અમૃત
  • રાત્રે 9.38 થી11.03 સુધી ચર

અશુભ સમય:

  • રાહુકાળ સવારે 5.13 થી 6.48
  • યમ ઘંટા બપોરે 12.28 થી 2.03
  • ગુલી કાળ બપોરે 3.38 થી 5.13
  • કાળ ચોઘડિયા બપોરે 12.28 થી 2.03

the-best-way-to-build-a-racket-on-raksha-bandhan-india3

ઘનિષ્ઠા પંચક  નથી 

ઘનિષ્ઠા થી રેવતી સુધી પાંચ નક્ષત્રને પંચક કહેવાય છે. આ પાંચ દિવસ સુધી ચાલે છે. પંચકને લઈને ભ્રાંતિ છે કે તેમાં કોઈ પણ કાર્ય નહી કરવું જોઈએ. જયારે સત્યતા આ છે કે પંચકમાં અશુભ કાર્ય નહી કરવુ જોઈએ કારણકે તેમની પાંચ વાર પુનરાવૃતિ હોય છે. પંચકમાં શુભ કાર્ય કરવામાં કોઈ આપત્તિ નથી. રક્ષાબંધનના દિવસે ઘનિષ્ઠા નક્ષત્ર હોવાના કારણે પંચક રહેશે. પણ રાખડી બાંધવામાં બંધક નહી બનશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures Powerful Earthquake Hits Taiwan