- અનલૉક 1માં જ્યારે ટ્રેન શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે. ગાઈડલાઈન મુજબ માસ્ક, સોશ્યિલ ડિસ્ટન્સિંગ અને સેનેટાઈઝેશનના નિયમોનું પાલન કરવાનું રહેશે.
- યાત્રીઓને માટે રેલ્વેએ રિઝર્વેશન ટિકિટને લઈને કેટલાક નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે.
- નવા આદેશમુજબ હવેથી ટિકિટ બુકિંગ માટે દરેક યાત્રીએ રિઝર્વેશન ફોર્મ તમે ક્યાં જઈ રહ્યા છો તે જગ્યાનું પણ પૂરું એડ્રેસ આપવાનું રહેશે.
- ફક્ત શહેરનું નામ લખવાથી નહીં ચાલે. તદુપરાંત તે જગ્યાનો પિનકોડ પણ ફોર્મમાં ભરવાનો રહેશે.
- ચાલી રહેલી કોરોનની મહામારીને લીધે કોરોના સંક્રમણને લઈને યાત્રીના ડેસ્ટિનેશન સાથે અન્ય જાણકારીને પણ શેર કરવાની રહેશે.
![](https://i0.wp.com/ptndigitalmedia.com/wp-content/uploads/2020/06/10RanRailway_192726.jpg?resize=494%2C285&ssl=1)
- રિઝર્વેશન ફોર્મમાં આ જાણકારી ભર્યા વગર ટિકિટ બુક થશે નહિ.
- આ નિયમો પાછળનું કારણ એ છે કે કોરોના સંક્રમણને રોકી શકાય અને તેને નિયંત્રણમાં રાખી શકાય. અને જો યાત્રીને કોરોના પોઝિટિવએ આવે તો તેનો સંપર્ક સરળતાથી કરી શકાય.
- તે સાથે યાત્રીઓના એડ્રેસની સાથે સાથે પોસ્ટ ઓફિસનો પીન કોડ પણ આપવો જરૂરી રહેશે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News