birthday
- આજે ગાંધીનગર (Gandhinagar) નો 56 મો સ્થાપના દિવસ છે.
- ત્યારે કોરોનાની મહામારીની વચ્ચે સાદગીપૂર્ણ રીતે સ્થાપના દિવસની કરાઈ ઉજવણી કરાઈ હતી.
- 56 વર્ષમાં ગાંધીનગરની સિકલ બદલાઈ ગઈ છે.
- 5 હજારની વસ્તી વધીને 5 લાખની વસ્તી ધરાવતું શહેર બન્યું છે.
- ગાંધીનગરમાં આવેલી GEB કોલોની ખાતે જ્યાં શહેરની પ્રથમ ઈંટ મુકાઈ હતી, ત્યાં આ વર્ષે પણ સ્થાપના દિવસની ઉજવણી કરાઈ હતી.
- આ પ્રસંગે ગાંધીનગરના મેયર રીટાબેન પટેલ, પ્રદીપસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા.
- તો બીજી તરફ, આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીનો 64મો જન્મ દિવસ (birthday) પણ છે.
- ત્યારે પ્રજાના સેવક અને કોમન મેન તરીકેની છાપ ધરાવતા વિજય રૂપાણી આ જન્મદિવસ (birthday) પણ પ્રજાહિતલક્ષી કાર્યોને સમર્પિત કરવાના છે.
- મુખ્યમંત્રી આજે રવિવાર 2 ઓગસ્ટના દિવસે 64માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે.
- મુખ્યમંત્રીએ સી.એમ-કોમન મેન તરીકેની એક આગવી ઓળખ સૌના હૃદયમાં ઊભી કરી છે.
- તેઓ પ્રજાહિતના કામો દ્વારા અને આપત્તિના સમયે પ્રજાની પડખે ઊભા રહી સામાન્ય માનવીની રોજી-રોટીની ચિંતા કરનારા સંવેદનશીલ વ્યક્તિ તરીકે પ્રજા-માનસમાં લોકપ્રિય છે.
- વિજય રૂપાણી પોતાનો જન્મદિવસ (birthday) આવા જ પ્રજાહિત અને પ્રજાકિય કામોની સંવેદના સાથે તેમજ વિપદાની વેળાએ લોકોની પડખે રહીને મનાવતા આવ્યા છે.
- ભૂતકાળમાં જ્યારે બનાસકાંઠા ઉત્તર ગુજરાતમાં પૂર અને વરસાદનો પ્રકોપ થયો હતો.
- ત્યારે પણ મુખ્યમંત્રીએ પોતાનો જન્મદિવસ પૂર-આપત્તિગ્રસ્તોની વચ્ચે તેમના બચાવ સહાય કાર્યોમાં સતત 5 દિવસ બનાસકાઠામાં રહીને સેવા કાર્યોમાં મનાવ્યો હતો.
- વિજય રૂપાણી આજે પોતાના 64માં જન્મદિવસે પણ સુરતમાં કોરોના સંક્રમણ-નિયંત્રણ-સારવારની સમીક્ષામાં કાર્યરત છે.
- તથા સુરતની સ્ટેમસેલ અને કિડની હોસ્પિટલ જે ડેડિકેડેટ કોવિડ હોસ્પિટલ તરીકે કાર્યરત છે
- તેમાં સારવાર લઇ રહેલા કોરોના સંક્રમિત દર્દીઓની ખબર અંતર પૂછવા બપોરે સુરત જવાના છે.