Vidhya Balan
બોલિવૂડ એક્ટ્રેસ વિદ્યા બાલને (Vidhya Balan) જણાવ્યું કે, તે પેહલી વાર વેબસીરીઝમાં કામ કરશે. આ વેબસીરીઝ દેશની એકમાત્ર મહિલા પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી પર બની રહેલી છે.
સૂત્રો મુજબ, આ વેબ સીરીઝનું પ્રોડક્શન તેનાં પતિ સિદ્ધાર્થ રોય કપૂર કરશે. તો આ અંગે વિદ્યાએ કહ્યું કે, હું ઇન્દિરા ગાંધીનાં જીવન પર બની રહેલી વેબ સીરીઝમાં કામની તક મેળવવાનો પ્રયાસ કરી રહી છું. અત્યારે તો મારા પ્રયાસ ચાલું છે.

તેણે વધુમાં ઉમેર્યુ કે, હું મહેસૂસ કરી રહી છું કે, કોઇ વેબ સીરીઝમાં જોડાવવા માટે ઘણું કામ કરવું પડે છે. તથા એક ફિલ્મની સરખામણીએ વેબ સીરીઝમાં કામ વધુ હોય છે.કારણ કે એમાં ઘણાં લોકો સાથે કનેક્ટ થવું પડે છે. તેથી તેમાં સમય વધુ લાગે છે.
આપને જણાવી દઇએ કે, આ પહેલાં સમાચાર આવ્યા હતાં કે, વિદ્યા બાલન તમિલ નાડૂનાં પૂર્વ CM જયલલિતા પર બની રહેલી બાયોપિકમાં જયલલિતાનો રોલ અદા કરશે. પરંતુ વિદ્યા બાલને તે ફિલ્મ કરવાનો ઇન્કાર કરી દીધો હતો. ત્યાર બાદ જય લલિતાની બાયોપિકમાં કંગના રનૌટ નજર આવી હતી.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.