• ઓડિશામાં સદીના સૌથી ભયાનક વાવાઝોડા બાદ ઓડિશાની સ્થિતિ કફોડી છે. ઠેરઠેર કાટમાળ પડ્યો છે અને તબાહીના દૃશ્યો સામે આવી રહ્યાં છે.
  • વિશ્વના સૌથી મોટા બચાવ કાર્યના ભાગરૂપે 11 લાખ લોકોનું સ્થળાંતર કરાયું હોવા છતાં ફાની વાવાઝોડાએ ઓડિશામાં 16 લોકોનો જીવ લીધો છે.
  • પ્રાપ્ત વિગતો અનુસાર ઓડિશામાં 1 કરોડ લોકોનું જીવન ફાનીના કારણે પ્રભાવિત થયું છે.
  • ઓડિશાને સહાયની જરૂરિયાત હોવાથી ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ મુખ્ય મંત્રી રાહત નીધિમાંથી રૂપિયા 5 કરોડની જાહેરાતનું એલાન કર્યુ છે.
  • ઓડિશામાં ફાની વાવાઝોડાના કારણે મૃતાંક વધીને 16 થયો છે. ઓડિશાના આશરે 10,000 ગામડા અવને 52 શહેરી વિસ્તારોમાં રાહત અને પુનર્વસનનું કામ શરૂ છે.
  • આ વાવાઝોડાથી કારણે આશરે 1 કરોડો લોકો પ્રભાવિત થયા છે.
  • આ અગાઉ પણ વડાપ્રધાન મોદીએ કેન્દ્ર સરકાર તરફથી ફાની બાદના રાહત કાર્ય માટે રૂપિયા 1,000 કરોડના રાહત પેકેજની જાહેરાત કરી હતી.
  • વડાપ્રધાન મોદી સોમવારે ફાની પ્રભાવિત ઓડિશાની મુલાકાત લેશે. ઓડિશા ઉપરાંત પશ્ચિમ બંગાળમાં પણ ફાનીના કારણે ખાના ખરાબી થઈ છે તેમ છતાં જાનહાનિના સમાચાર નથી.
  • અધિકારીઓએ જણાવ્યું કે વાવાઝોડાના કારણે ઓડિશાના મયુર ભંજમાં 4, પુરી અને ભુવનેશ્વરમાં 3 અને ક્યોંઝર, નયાગઢ અને કેન્દ્ર પાડામાં એક એક વ્યક્તિનું મૃત્યુ થયુ છે.
  • ઓડિશામાં ચક્રવાતી તોફાન ફાનીના કારણે અત્યાર સુધી 16 લોકોના મોત થઈ ચૂક્યા છે. જોકે, સારી બાબત એ છે કે સમયસર ઓડિશાના લગભગ 10,000 ગામો અને 52 શહેરી વિસ્તારોમાં બચાવ અને રાહતનું કામ ચાલુ છે.
  • ઓડિશાશના હજારો લોકોનો જીવ બચાવવાની પાછળ ISROની ભૂમિકાના પણ બહુ વખાણ કરવામાં આવી રહ્યા છે. ISROના સેટેલાઇટે જો સમયસર આ તોફાનની ઓળખ ન કરી હોત તો કદાચ સ્થિતિ બગડી શકતી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024