- આપણા ગુજરાત માં ઉજવવામાં આવતો ઉત્તરાયણ એટલે કે પતંગ મહોત્સવ પરિવાર સાથે ખુબ આનંદમય ઉજવાતો તહેવાર છે.
- ગુજરાત સરકારના સહયોગથી જીવીકેઈએમઆરઆઈ ૧૦૮ ઈમરન્જન્સી સેવા ગુજરાતના તમામ નાગરીકને ખુબ જ આનંદમય અને સલામત ઉત્તરાયણ અને પતંગ મ્હોંત્સવ શુભેચ્છા પાઠવે છે.
- આ અનોખા અવસર પર ૧૦૮ ઈમરજન્સી સેવા વિશેષ સંભાળનો સંદેશો લઈ આવી છે. ઉત્તરાયણના દિવસે મોટી સંખ્યામાં લોકો ભેગા થાય છે અને જરા પણ થોભ્યા વિના દિવસ-રાત પતંગો ચગાવે છે.
- બાળકો પતંગો પકડવા રસ્તા પર દોડી આવે છે, સાવચેતીના બંધા જ પગલાં હોવા છતાં દુર્ધટના બનતી હોય છે.
- ૧૦૮ની એક વિનંતી છે કે જે તે દુર્ધટના બાદ ભયભીત થવાને બદલે ૧૦૮ ડાયલ કરો.
- આ દરમ્યાન જશવંત પ્રજાપતિ, સીઓઓ, ઈમરજન્સી રિસર્ચ અને મેનેજમેન્ટે ઈસ્ટિ ટયુટ, નરોડા,
- ખુશ ખુશાલ અને સલામત ઉત્તરાયણની શુભેચ્છા્ સાથે જણાવે છે કે, અમો ૧૦૮ ઈમરજન્સી રીસપોન્સસ સેન્ટર પર તહેવારોની સીઝનનાં કારણે અપેક્ષિત વધતી ઈમજરન્સીને પ્રતિસાદ આપવા સક્ષમ છીએ .
- અમો વધારાની સંખ્યામાં ઈમરજન્સી ઓફીસર અને ડોક્ટરો ની હાજરીથી વધુ કોલ્સને પ્રતિસાદ આપી શકીએ છીએ. આ તહેવાર આપણાં સૌનાં માટે સલામત રહે તેવી શુભેચ્છા્ પાઠવીએ છીએ,
- પરંતુ જો કોઈ ઈમરજન્સી. હોય તો યાદ રાખજો કે ૧૦૮ સેવા વિના મુલ્યે્ અને એક ફોન કોલથી મળી શકે તેમ છે.
- તો આ સેવાનો અવશ્ય ઉપયોગ કરવો ..
- શું -શું કરવું જોઇએ ?
૧. પતંગ ચગાવતા પહેલાં આંગળીઓ ને મેડીકેટેડ ટેપ લગાવી જોઈએ.
૨. બાળકો એ વાલી ની દેખરેખ હેઠળ પતંગો ચગાવવા જોઇએ.
૩. વાહન ચાલકે હેલ્મેટ અવશ્ય પહરેવું જોઇએ.
૪. જો કોઈ ને કંઇ પણ ઈજા થાય તો તરત જ ૧૦૮ નબંર ડાયલ કરવો.
૫. અગાસી માં ફ્સ્ટ એઈડ કીટ અવશ્ય રાખવી.
- શું – શું ના કરવું જોઇએ ?
૧. લીસી, ખરબચડી, તુટેલી અને નબળી અગાસી/છત કે ધાબા પર ચડવું ના જોઈએ.
૨. નબળા બાંધ કામ કે છાપરા પર પતંગ ચગાવવા ચડવું નહીં.
૩. ઉંચાઇ એ થી જમીન પર કુદવું ન જોઈએ.
૪. જાહેર રસ્તા પર પતંગ પકડવા દોડવું ન જોઈએ.
૫. ઇલેક્ટ્રિક વાયર, રોડ અને વીજળીનાં થાંભલા ની નજીક પતંગ ચગાવવા ન જોઇએ.
૬. અગાસી/ છત કે ધાબા ની પાળી પર ચઢવું ન જોઇએ.
૭. ઈલે.ના વાયરમાં ફસાયેલ પતંગ કે દોરી લેવા માટે પ્રયાસ કરવો નહિ.
ઉત્તરાયણની માટે 108 ઈમરજન્સી સેવાની તૈયારીઓ
- ઉતરાયણ ના પ્રસંગે લોકો આનદંમય અને સલામત ઉત્તરાયણ મનાવી શકે તે માટે નીચે મજુબના વધુ માપદંડો ગોઠવી રાખ્યા છે
• ૧૦૮નું લોકેશન વ્યુહરચના યુક્ત આયોજનથી નક્કી થાય છે કે કોઇપણ જાતની ઇમરજન્સીને પ્રતિસાદ આપી શકે છે.
• ૧૦૮ એમ્બ્યુલન્સમાં જીવન બચાવવા જરૂરી એવી તમામ દવા અને સાધન સામગ્રી અને તાલીમ પામેલ સ્ટાફ પણ હાજર જ હોય છે.
• તમામ પાયલટ, ઇ.એમ.ટી તથા ડોકટર ને એમ્બ્યુલન્સ રોડ પરથી પસાર થાય તે વખતે સચેત રહેવા માટે જણાવાયું છે.
• વધારે કૉલ્સ મળનાર વિસ્તારોમાં વધારે એમ્બ્યુલન્સ ઉપલબ્ધ થાય તેવુ આયોજન કરવામાં આવ્યુ છે.જેના કારણે તમને તાત્કાલિક સેવા મળી રહી છે .
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News