- નેહા કક્કડ માટે જાન લઇને પહોંચ્યા આદિત્ય, પણ પછી કહી દીધી આવી વાત.
- નેહા કક્કડ અને આદિત્ય નારાયણના લગ્નની ચર્ચાઓ ઇન્ટરનેટ પર છવાયેલી છે. ત્યારે આ વચ્ચે ઇન્ડિયન આઇડલ 11ના મંચ પરથી તેમના લગ્નનો એક વીડિયો પર લીક થયો હતો. અને સોશિયલ મીડિયામાં પણ આ વીડિયો વાયરલ થયો હતો. જેમાં નેહા નવવધૂના કપડામાં તો આદિત્ય વરરાજાના લૂકમાં કૂલ લાગી રહ્યા હતા.
- વળી લગ્નનો મંડપ પણ સ્ટેજ પર સજી ગયો હતો. વળી શોના જજ હિમેશ રેશમિયા અને તેમની પત્ની સોનિયા કપૂર તથા વિશાલ દદલાની પણ આ લગ્નમાં હાજર રહેવા માટે પહોંચી ગયા હતા.
- જો કે લગ્નની આ અટકળો પર આદિત્ય નારાયણે ચુપ્પી તોડી હતી. જેને સાંભળીને તેમના ફેન્સનું મન દુખી થઇ ગયું હતું. આદિત્યએ આઇબી ટાઇમ્સમાં વાતચીતથી કહ્યું કે જો હું મારા જીવનનો આટલો મોટો નિર્ણય લઉં તો હું પોતે તે વિશે એલાન કરીશ.
- આ એક મોટો નિર્ણય છે. અને હું તેને છુપાવીશ નહીં. આ બધુ મજાકની રીતે શરૂ થયું હતું. અને લોકોએ તેને સીરિયસલી લઇ લીધું હતું.
- આદિત્યએ જણાવ્યું હતું કે કેટલાક દિવસથી સોશિયલ મીડિયામાં આ વાતને લઇને અનેક ખબરો છે. પણ કોઇ પણ મીડિયા પર્સનલ અમારી પાસે આ મામલે સચ્ચાઇ જાણવા ના આવ્યું. આ બધુ ખાલી રિયાલિટી શો માટે કરવામાં આવ્યું છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News