- કોરોના એ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે કોરોના વાયરસના કારણે વિશ્વની બધી જ સ્પોર્ટસ ઈવેન્ટને પણ મુશ્કેલી ઉભી થઇ છે.
- કોરોના વાયરસનાં કહેર વચ્ચે તકેદારી રૂપે ભારતીય ક્રિકેટ બોર્ડે IPL 2020ને મુલતવી કરવાનો નિર્ણય લીધો હતો. અત્યારે આઈપીએલ 15મી એપ્રિલ સુધી સ્થગિત છે ત્યારે ઘણા અહેવાલોમાં દર્શાવવામાં આવ્યું છે કે આ વર્ષે આઇપીએલનું આયોજન કરવામાં આવશે નહીં. પરંતુ ભારતીય ક્રિકેટ બોર્ડે કોઈ પણ ભાગે ટૂર્નામેન્ટનું આયોજન કરવાનું મન બનાવી લીધું છે.
- સૂત્રો ના જણાવ્યા અનુસાર IPLનું આયોજન જુલાઈથી સપ્ટેમ્બર દરમિયાન કરી શકાય છે. 24મી જુલાઈથી શરુ થઇ રહેલ ટોક્યો ઓલમ્પિકની સાથે જ IPLનું આયોજન કરી શકાય છે.
- કોરોના વાયરસનાં કારણે વિપરીત પરિસ્થિતિમાં IPLનું આયોજન કરવું અસંભવ છે. સૌરવ ગાંગુલીએ થોડા દિવસ પહેલાં જણાવ્યું હતું કે આઈપીએલનું આયોજન થશે તો તો ટૂંકી ટૂર્નામેન્ટ થશે પરંતુ હવે લાગે છે કે બોર્ડ તમામ 60 મેચ યોજવા માટે તૈયાર છે.
- મળેલી માહિતી મુજબ બોર્ડ આ વર્ષે આઈપીએલ રદ્દ કરવા માંગતી નથી.
- એટલું જ નહીં જરૂર પડશે તો IPLનું આયોજન બીજા દેશમાં પણ કરી શકાય છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News