- મોડાસા સાયરાની મૃતક યુવતીના મોતના કેશમાં 25 દિવસ વિત્યા છતાં યુવતીના મોતનું રહસ્ય અકબંધ રહેતાં લોકોમાં યુવતીના મોત અંગે અનેક ચર્ચાઓએ ભારે જોર પકડ્યું છે.
- યુવતીના મોત ના કેશના તપાસ માટે એસઆઈટીની રચના કર્યા બાદ 19 જાન્યુઆરીથી આ કેસની તપાસ સીઆઇડી ક્રાઇમને સોંપવામાં આવી છે.
- કેશ ના આરોપીઓના 24 જાન્યુઆરીએ રિમાન્ડ પૂર્ણ થયાને છ દિવસનો સમયગાળો વીતવા છતાં આ કેસમાં સીઆઈડી ક્રાઈમ એફ.એસ.એલ રિપોર્ટ આવ્યો હોવાની પુષ્ટી નકારી રહી છે.
- યુવતીના મોત ના પોસ્ટમોર્ટમ થયાને 21 દિવસ ઉપરાંતનો સમયગાળો વીતી જવા છતાં મોત અંગેનો કોઈ રિપોર્ટ જાહેર કરાયો નથી.
- ત્યારે સીઆઇડી ક્રાઇમે 19 જાન્યુઆરીથી આ કેસ સંભાળ્યા બાદ આરોપીઓ અને મૃતક વચ્ચે અસંખ્ય વાર ટેલિફોનિક સંપર્ક થયો હોવાનું રિપોર્ટ મુજબ જણાવાયું છે.
- યુવતીના મોત પ્રકરણમાં સીઆઇડીએ પુનઃ ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરી ત્રણેય આરોપીઓના 24 જાન્યુઆરી રિમાન્ડ પૂર્ણ થતા તેમને સબજેલ ખાતે મોકલી આપ્યા છે.
- મૃતક યુવતી ના કેશ માં સીઆઇડી ક્રાઇમે મૃતક યુવતીની બહેન તેમજ તેના પરિવારના પણ નિવેદનો લીધા હતા.
- જો કે, આ કેસની તપાસ શરૂ થયાના 11 દિવસ તેમજ મૃતક યુવતીના મોત ના કેશ માં પી.એમ થયાને 21 દિવસ ઉપરનો સમયગાળા વીતવા છતાં એફ.એસ.એલ રિપોર્ટ અંગે સીઆઇડી ક્રાઇમ મૌન ધારણ કરતા લોકોમાં અનેક તર્ક-વિતર્ક સેવાઇ રહ્યા છે.ત્યારે આ કેશ c.i.d. એ હાથ ધર્યો છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News