- રાજકોટ શહેરમાં સેવાની અનોખો માહોલ જોવા મળી રહ્યો છે જેમાં પૌત્રની સગાઇ પ્રસંગે 300 દર્દીઓનાં ફ્રીમાં ઓપરેશન કરાવ્યા.
- રાજકોટમાં પૌત્રની શ્રીફળ વિધી પ્રસંગે દાદા- દાદી દ્વારા એક પ્રેરણારૂપ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. દાદા દાદીએ 300 દર્દીઓનાં મોતિયાનાં વિનામુલ્યે ઓપરેશન કરાવી આપ્યા હતા. વર્ષો પહેલા આર્થિક સ્થિતી ખરાબ હતી ત્યારે મોતિયાનાં ઓપરેશન આ દંપતિએ કરાવ્યું હતું.
- રાજકોટનાં યોગેશભાઇ જોગીનાં પુત્ર કેવલ જોગીની આજે શ્રીફળ વિધી કરવામાં આવી હતી. પરંતુ યોગેશભાઇ જોગીનાં પિતા ચંદ્રકાંત જોગી અને માતા કાન્તાબેન જોગીની ઇચ્છા હતી કે તેનાં પ્રૌત્રની શ્રીફળ વિધીમાં 300 દર્દીઓનાં મોતિયાનાં ઓપરેશન કરાવવામાં આવે.
- જેનાં માટે રાજકોટનાં રણછોડદાસ આંખની હોસ્પિટલ ખાતે પ્રૌત્ર કેવલની સગાઇ સમયે જ 300 દર્દીઓનાં નિશુલ્ક ઓપરેશન કરીને નેત્રયજ્ઞ કરવામાં આવ્યો હતો. પ્રૌત્ર કેવલે કહ્યું હતું કે, દાદા-દાદીનું સ્વપ્ન હતું કે, તેમના પ્રૌત્રની સગાઇ સમયે લોકોનાં આંખનાં મોતિયાનાં ઓપરેશન કરાવવામાં આવે. જે પરિવારજનોએ પૂર્ણ કર્યું છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News